Sunday, December 8, 2019
Friday, November 1, 2019
Tuesday, October 1, 2019
ગાંધી જયંતીની ઉજવણી
આજ રોજ અમારી ધ નેશનલ સ્કૂલ,રાહમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવેલ,
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની ૨જી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. દરેક બાળક ગાંધીજીના જીવન વિશે માહિતી મેળવેલ,
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની ૨જી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. દરેક બાળક ગાંધીજીના જીવન વિશે માહિતી મેળવેલ,
Wednesday, September 4, 2019
શિક્ષક દિવસની ઊજવણી
આજે 5 સપ્ટેમ્બર ના રોજ  ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ર્ડા, સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મદિવસ નિમિત્તે અમારી ધ નેશનલ સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં બાળકો પોતે  આજના દિવસ માટે ટ્રસ્ટી, આચાર્યશ્રી,  શિક્ષક  તથા  સેવક બનવામાં ભાગ લીધેલ એમને સ્કૂલમાં તમામ શેક્ષણિક કાર્ય કરેલ અને સ્ટાફમિત્રોના સાથ સહકાર થી આજ રોજ બાળકોને એક સારા શિક્ષક તરીકેની ભૂમિકા ભજવવા મળેલ, ભાગ લેનાર બાળકો અને સાથી બાળકોને પણ મજા આવી,
Saturday, August 31, 2019
Thursday, August 22, 2019
વાલીમીટિંગ
શાળા, શિક્ષક, વિધાર્થી,અને વાલીઓ શિક્ષણના મહત્વના પાયા ના હેતુ છે. શિક્ષણ માં આ બધાની આવશ્યકતા જરૂરી છે. આના વગર ચાલે જ નહી. વાલી શાળાની મુલાકાત લેશે તો જ શાળા વિશે શિક્ષકો વિશે પોતાના બાળકની પ્રગતિ વિશે જાણી શકે  તે હેતુસર 15.8.19ના રોજ અમારી ધ નેશનલ સ્કૂલ રાહમાં વાલીમિટિંગનું આયોજન કરવામાં આવેલ અને તેમાં વાલીમિત્રો હાજર રહેલ,
Wednesday, August 21, 2019
જન્માષ્ટમી ઉજવણી
જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાયેલ મટકી ફોડ કાર્યક્રમની ઝલક
તા.21.8.19
બુધવાર
ધ નેશનલ સ્કૂલ,રાહના પટાંગણમાં જન્માષ્ટમી પર્વ નિમિતે જગતપાલક ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નો તહેવાર ધામધૂમથી મટકી ફોડીને ઉજવવામાં આવ્યો હતો.
ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ જન્માષ્ટમી પર્વની ઉજવણી શાળામાં હર્ષોલ્લાસ અને શ્રધ્ધાભેર કરવામાં આવી હતી, દર વર્ષે ધ નેશનલ સ્કૂલ,ધાનેરામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાય છે.તેમ આ વર્ષે અમારી નવીન સ્કૂલ રાહમાં શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણના પ્રયાસથી તા.21 ઓગસ્ટ બુધવારના રોજ 9.૦૦ કલાકે મતકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ શાળાના વિદ્યાર્થીઓએ શાળાના પટાંગણમાં
મટકી બાંધી હતી.ત્યાર બાદ વિદ્યાર્થીઓએ ગોઠવાઇને મટકી સુધી પહોંચીને મટકી ફોડી હતી.શાળાનું સમગ્ર વાતાવરણ નંદ ઘેર આનંદ ભાયો જય કનૈયા લાલકી નાં નારા સાથે ગુંજી ઉઠ્યુ હતુ મટકી ફોડ કાર્યક્રમ બાદ ચોકલોટૉ પણ વહેંચવામાં આવી હતી.શાળાના આચાર્ય શ્રી જન્માષ્ટમી પર્વની શુભ કામના પાઠવી હતી.
શાળા પરીવારના સહયોગથી જન્માષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભાવ પૂર્વક શ્રધ્ધાભેર ઉલ્લાસભેર કરવામાં આવી હતી.
તા.21.8.19
બુધવાર
ધ નેશનલ સ્કૂલ,રાહના પટાંગણમાં જન્માષ્ટમી પર્વ નિમિતે જગતપાલક ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નો તહેવાર ધામધૂમથી મટકી ફોડીને ઉજવવામાં આવ્યો હતો.
ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ જન્માષ્ટમી પર્વની ઉજવણી શાળામાં હર્ષોલ્લાસ અને શ્રધ્ધાભેર કરવામાં આવી હતી, દર વર્ષે ધ નેશનલ સ્કૂલ,ધાનેરામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાય છે.તેમ આ વર્ષે અમારી નવીન સ્કૂલ રાહમાં શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણના પ્રયાસથી તા.21 ઓગસ્ટ બુધવારના રોજ 9.૦૦ કલાકે મતકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ શાળાના વિદ્યાર્થીઓએ શાળાના પટાંગણમાં
મટકી બાંધી હતી.ત્યાર બાદ વિદ્યાર્થીઓએ ગોઠવાઇને મટકી સુધી પહોંચીને મટકી ફોડી હતી.શાળાનું સમગ્ર વાતાવરણ નંદ ઘેર આનંદ ભાયો જય કનૈયા લાલકી નાં નારા સાથે ગુંજી ઉઠ્યુ હતુ મટકી ફોડ કાર્યક્રમ બાદ ચોકલોટૉ પણ વહેંચવામાં આવી હતી.શાળાના આચાર્ય શ્રી જન્માષ્ટમી પર્વની શુભ કામના પાઠવી હતી.
શાળા પરીવારના સહયોગથી જન્માષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભાવ પૂર્વક શ્રધ્ધાભેર ઉલ્લાસભેર કરવામાં આવી હતી.
Monday, August 19, 2019
Sunday, August 18, 2019
વૃક્ષારોપણ કાર્યક્રમ
અમારી ધ નેશનલ સ્કૂલ,રાહના વિશાળ કેમ્પસમાં ગયા સપ્તાહમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં આચાર્ય શ્રી તેમજ તમામ સ્ટાફગણ અને વિધાર્થીઓ સાથે મળીને કુલ 130 વૃક્ષો વાવવામાં આવેલ અને તેની સાથે વૃક્ષોવિશે બાળકોને મહત્વ સમજાવવામાં આવેલ,
મનુષ્યને જીવવા માટે ખોરાક, પાણી અને હવા ની જરૂર હોય છે. ખોરાક અને શુધ્ધ હવા આ વૃક્ષો વિના શક્ય નથી. ફળફળાદિ , ઔષધી અને છાયડો વૃક્ષો આપે છે. તે વરસાદ લાવવામાં ખુબ જ મદદરૂપ છે. વૃક્ષો વિશે સકરાત્મક અભિગમ કેળવાય અને વૃક્ષોનો મહત્વ સમજાય તે ખુબ જ આવશ્યક છે. ...
રક્ષાબંધનની ઉજવણી 2019
 ભાઈ અને બહેન વચ્ચેનું બંધન વિશ્વમાં બીજુ મહાન બંધન છે. આ દિવસે ભાઈઓ તેમના વચનો આપે કે તેમના સમગ્ર જીવન દરમિયાન તેમની બહેનોની કાળજી લેવા માટે અને બહેનો તેમના રક્ષણ હેઠળ સુરક્ષિત લાગે.
15 ઓગસ્ટ 2019ના રોજ અમારી ધ નેશનલ પ્રાયમરી સ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કર્યું હતું .જેમાં છોકરીઓ છોકરાઓને રાખી બાંધી, અને બહેને ભાઈઓને માં મીઠું કરાવી કાર્યક્રમની પુર્ણાહુતી કરેલ .
આભાર
15 ઓગસ્ટ 2019ના રોજ અમારી ધ નેશનલ પ્રાયમરી સ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કર્યું હતું .જેમાં છોકરીઓ છોકરાઓને રાખી બાંધી, અને બહેને ભાઈઓને માં મીઠું કરાવી કાર્યક્રમની પુર્ણાહુતી કરેલ .
આભાર
સ્વાતંત્ર્યદિનની ઉજવણી 2019
ભારત વષૅ માં રાષ્ટ્રીય તહેવારો 2 ઉજવાય છે.જેમાં  15 મી ઓગસ્ટ આપણા દેશ માટે ગુલામી માંથી મુકિત મેળવી સ્વતંત્ર જીવન જીવવાની તક મળી. તો આવા રાષ્ટ્રીય પવૅ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
ધ નેશનલ પ્રાયમરી સ્કૂલ ,રાહ દ્વારા પણ 73 મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કાયૅકમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા..કાયૅકમ ની શરૂઆત ભારત માતા ના નારા થી થતા આખું વાતાવરણ રંગીન બની ગયું હતું...
સૌ પ્રથમ ધ્વજવંદન શાળા ના સંચાલક મંડળ તથા રાહ ગામના ઉપ સરપંચ શ્રી ચતરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું... ધોરણ 01 થી 05 ની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું... ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ દેશ ભક્તિ ડાન્સ દ્વારા ઉપસ્થિત તમામ લોકો ને આનંદિત કરી દીધા હતા.. અને તાળીઓ ના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું... Kg 1..2 ના બાળકો દ્વારા સુંદર રીતે સામાન્ય જ્ઞાન અને સામાન્ય પરીચય આપ્યો હતો... કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન શાળા ના આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું....
શાળા ના સંચાલક શ્રી દિનેશભાઇ સુથાર સાહેબે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે અલગ અલગ ધમૅ ના નહી પણ એક ભારતીય બનવાની વાત કરી હતી.. અને આજે આમીૅ ના માણસો ને માન આપવાની વાત કરી હતી....
અને કાયૅકમ પુણૅ જાહેર કર્યો હતો....
દેશ ભકિત ના કાર્યક્રમમાં આમંત્રણ ને માન આપી પધારેલ તમામ નો શાળા પરિવાર વતી હ્દય પૂર્વક આભાર..... જય હિન્દ.
ધ નેશનલ પ્રાયમરી સ્કૂલ ,રાહ દ્વારા પણ 73 મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કાયૅકમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા..કાયૅકમ ની શરૂઆત ભારત માતા ના નારા થી થતા આખું વાતાવરણ રંગીન બની ગયું હતું...
સૌ પ્રથમ ધ્વજવંદન શાળા ના સંચાલક મંડળ તથા રાહ ગામના ઉપ સરપંચ શ્રી ચતરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું... ધોરણ 01 થી 05 ની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું... ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ દેશ ભક્તિ ડાન્સ દ્વારા ઉપસ્થિત તમામ લોકો ને આનંદિત કરી દીધા હતા.. અને તાળીઓ ના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું... Kg 1..2 ના બાળકો દ્વારા સુંદર રીતે સામાન્ય જ્ઞાન અને સામાન્ય પરીચય આપ્યો હતો... કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન શાળા ના આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું....
શાળા ના સંચાલક શ્રી દિનેશભાઇ સુથાર સાહેબે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે અલગ અલગ ધમૅ ના નહી પણ એક ભારતીય બનવાની વાત કરી હતી.. અને આજે આમીૅ ના માણસો ને માન આપવાની વાત કરી હતી....
અને કાયૅકમ પુણૅ જાહેર કર્યો હતો....
દેશ ભકિત ના કાર્યક્રમમાં આમંત્રણ ને માન આપી પધારેલ તમામ નો શાળા પરિવાર વતી હ્દય પૂર્વક આભાર..... જય હિન્દ.
Subscribe to:
Comments (Atom)





 













































